સોમવાર, 25 ઑગસ્ટ, 2014

લોકશાહીનું સર્વોચ્ચ મંદિર સંસદ ભવન

લોકશાહીનું સર્વોચ્ચ મંદિર સંસદ ભવન
·        લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન. સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.
·        ઈમારતનો આકાર = ગોળાકાર
·   રેખાંકન કરનાર = સર એડવર્ડ લ્યુટન્સ અને સર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)
·        ભૂમિપૂજન = તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે
·        બાંધકામનો ખર્ચ = રૃા. ૮૩ લાખ
·        વાસ્તુપૂજન = લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ.
·        ત્રણ માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ
o    ૨૯.૯ મીટર વ્યાસનો,
o    તેના પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ = ૧૧૮ ફૂટ
o   આ સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશને આઝાદ કર્યો
o   સેન્ટ્રલ હોલમાં ચિત્રોની સંખ્યા = ૨૪.
o   ગાંધીજીના ચિત્રનું અનાવરણ થયું = ૧૮મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ.
·        આ ચિત્ર દોરનારઃ સર ઓસવાલ બિર્લે
·        સંસદભવનના વરંડામાં ચિત્રોની સંખ્યા = ૫૮.
·        સંસદભવન પરિસરમાં પ્રતિમાઓની સંખ્યાઃ ૧૩.
·   લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા  શબ્દો છે અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.
·   લોકસભાના અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ
 પટેલનું ચિત્ર છે.
· પહેલી લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.* ૧૯૫૨થી ૧૯૬૪ સુધી પંડિત જવાહરલાલ નહેરુ સભાગૃહના નેતા રહ્યા હતા.
  • ·        ૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ ચાર વખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા
  • ·        લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠક અને ગાલીચાનો રંગઃ લીલો.
  • ·        લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા = રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).
  • ·        રાજ્યસભા = સંસદભવનની ઈમારતમાં જ
  • ·         આકાર = ૪૪૫ ચોરસમીટર
  • ·        બેઠકોની ક્ષમતા = ૨૫૦
  • ·        બેઠક વ્યવસ્થાઃ હરોળમાં છ ભાગમાં.
  • ·        લાલ રંગની બેઠકો લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને ગાલીચાનો રંગ લીલો.
  • ·        રાજ્યસભાનું પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ
  • ·        રાજ્યસભાના વિરોધ પક્ષના પહેલા નેતાઃ શ્યામાનંદ મિશ્રા
  • ·     રાજ્યસભા વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે ઓળખાય છે.
  • ·        બંને ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધ વર્તુળાકાર છે.
  • ·      અગાઉ આ બંને સભાગૃહોની બનેલી એક જ કોન્સ્ટિટયુશન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયા તા. ૯-૧૨-૧૯૪૬થી ૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.



ટિપ્પણીઓ નથી: