ભારત ના
રાષ્ટ્રપતિ
- રાષ્ટ્રપતિ પદનુ અસ્તિત્વ દેશના બંધારણની કલમ ૫૨(બાવન) ને આભારી
- દેશના પ્રથમ નાગરીક, બંધારણીય વડા છે. દેશના શસ્ર દળના વડા છે.
- દેશ આખાના બનેલા સમગ્ર ભારતીય મતદાર મંડળે આપેલી બહુમતીના આધારે ચુંટાય છે.
- સમગ્ર દેશનુ પ્રતિનિધિત્વ કરતા હોવાથી કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોતા નથી.
- દેશના બંન્ને ગ્રુહોના સાંસદો, દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને યુનિયન ટેરીટરી ઓફ પોંડિચેરી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વ્રારા મતદાન.
- વિધાન પરિષદના સભ્યો અને રાષ્ટ્રપતિ એ નિયુક્ત કરેલા રાજ્ય સભાના સભ્યો મતદાન કરી શકતા નથી.
- રાષ્ટ્રપતિની ચુંટણી પરોક્ષપણે યોજાય છે.
- સંસદ કે વિધાન સભાની બેઠકો ખાલી હોવા છતાં ચુંટણી યોજાય છે.
- રાષ્ટ્રપતિ બંધારણની કલમ નં ૧૭૨(૧), ૧૭૪(૬), ૩૫૬(૧) હેઠળ એકથી વધુ વિધાનસભાને વિખેરી મતદાન મંડળોની સરંચના બદલી શકે.
- સસ્પેન્ડ વિધાનસભાના સભ્યો ચુંટણીમં ભાગ લઇ શકે.
- કલમ ૫૬(૧)(સી) હેઠળ નવા રાષ્ટ્રપતિ કાર્યભાળ સંભાળે ત્યાં સુધી જુના રાષ્ટ્રપતિ ચાલુ રહે છે.
- રાષ્ટ્રપતિની મુદત લંબાવી શકાતી નથી કે ચુંટણી મોકુફ રાખી શકાતી નથી.
- મુદત પુરી થવાના બે માસ અગાઉ નવા રાષ્ટ્રપતિ માટે જાહેરનામુ બહાર પાડવુ પડે છે.
- કલમ ૬૨(૧) માં નક્કી કરેલી સમયમર્યાદામાં ચુંટણી પુરી કરવી પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો